
Israel Hamas War News : ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય (Opration Ajay) શરૂ કર્યું છે. આજે 15 ઓક્ટોબરના રોજ સવારે ઈઝરાયેલથી ભારતીયોને લઈને વધુ બે ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી. પ્રથમ ફ્લાઈટમાં 197 ભારતીયો અને બીજી ફ્લાઈટમાં લગભગ 276 ભારતીયો હાજર હતા. અત્યાર સુધી 919 ભારતીયોનું ઈઝરાયેલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીયો કામ કરે છે. ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાંથી ફસાયેલા ઈન્ડિયનોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારે 12 ઓક્ટોબરથી ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે.
ઈઝરાયેલથી ભારત આવતા તમામ લોકોનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. ઈઝરાયેલથી પહેલી ફ્લાઈટ ગુરુવારે 212 લોકોને લઈને ભારત આવી હતી અને બીજી ફ્લાઈટ 235 લોકોને લઈને શનિવારે સવારે નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોને વતન પાછા ફરવા માટે ‘પહેલે આઓ,પહલે પાઓ’ ના નિયમ મુજબ સીટ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર 500 રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના ગઢ ગણાતા ગાઝા પર ઈઝરાયેલ સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ યુદ્ધમાં હિઝબુલ્લાહ હમાસ વતી ઈઝરાયેલ પર પણ હુમલો કરી રહ્યું છે. આ પહેલા પણ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ઘણી વખત યુદ્ધ થઈ ગયા છે. આ લડાઈમાં ઈરાન પણ હમાસનું સમર્થન કરી રહ્યું છે. સાથે જ અમેરિકા જેવા અનેક શક્તિશાળી દેશ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Israel Hamas War Latest News Mission Ajay indo Israel citizen